EPFOના વ્યાજ દરોમાં વધારો 6 કરોડ કર્મચારીઓને થશે ફાયદો ...
- 10 Feb, 2024
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનએ 2023-24 માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ થાપણો પર વ્યાજ દર 8.25 ટકા નક્કી કર્યો છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. માર્ચ 2023 માં, EPFOએ 2021-22 માં 8.10 ટકાથી 2022-23 માટે EPF પરના વ્યાજ દરમાં નજીવો વધારો કર્યો હતો. માર્ચ 2022માં, EPFOએ 2021-22 માટે EPF પર વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કર્યો હતો, જે ચાર દાયકામાં સૌથી નીચો હતો. EPF પર વ્યાજ દર 2020-21માં 8.5 ટકા હતો.
આ EPFOના ટ્રસ્ટી બોર્ડની 235મી બેઠક છે. CBTની બેઠકના એજન્ડામાં વ્યાજદર સામેલ થવાની ઉમ્મીદ કરવામાં આવી રહી છે. એનાલિસ્ટ ઉમ્મીદ કરી રહ્યા છે કે, EPFO દ્વારા મોંઘવારી દર અને વ્યાજદરને ધ્યાનમાં રાખી પીએફ પર વ્યાજના દરમાં વધારો કરવામાં આવી શકે છે. જો આવું થાય તો આ નિર્ણયથી લાખો નોકરીયાત લોકોને ફાયદો થશે.
હાલમાં EPFOના 6 કરોડથી વધુ સબસ્ક્રાઈબર છે. વિશેષ કરીને પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરતા લોકો માટે EPFO પાસે જમા પૈસા સૌથી મોટી સોશિયલ સિક્યોરિટી છે. પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓની સેલેરીમાંથી દર મહિને એક નક્કી ભાગ પીએફના નામ પર કપાય જાય છે.
એમ્પ્લોયર દ્વારા પીએફમાં યોગદાન કરવામાં આવે છે. નોકરી ગુમાવવા, બાંધકામ અથવા મકાન ખરીદવા, લગ્ન, બાળકોના શિક્ષણ અથવા નિવૃત્તિના કિસ્સામાં કર્મચારીઓ પીએફના નાણાં ઉપાડી શકે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ